રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપથી નારાજ પાસના આગેવાનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મળતાં પાસમાં વિખવાદ સર્જાયો છે. પાસ કન્વીનરોના વિખવાદ મુદ્દે હાર્દિક પટેલે કોન્ફરન્સ યોજી હતી. 3 કન્વીનરોની કમિટી પ્રદેશ પ્રમુખને મળી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી.
દિલ્લી હાઇકમાન્ડને જાણ કરીશું તેવી વાત થઇ હતી. ભાજપને સજુ સુધી અમે મળ્યા નથી. પાટીદારોના પ્રશ્નોને લઇ નિરાકરણ અંગે કોંગ્રેસ સાથે ચર્ચા થઇ હતી.આંદોલનમાં અમે સફળ રહ્યા છે. સફળ ન રહ્યા હોત તો મોદી રોડ શો ન કરોત. ભાજપ અમારા પ્રશ્નોનોઉ કેલ લાવશે તો અમે મળીશું. કોંગ્રેસને મળવું તે દેશદ્રોહ નથી.
પાસ હોદ્દેદારોને જો ચૂંટણી લડવી હોય તો આંદોલન છોડેઃ હાર્દિક
પાસ હોદ્દેદારો ચૂંટણી લડશે તો સમાજદ્રોહ ગણાશેઃ હાર્દિક
BJP પાસ હોદ્દેદારો ચૂંટણી લડશે તો સમાજદ્રોહ ગણાશેઃ હાર્દિક
ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા નેતાઓને પાર્ટી સાઇડ લાઇન કરે છેઃ હાર્દિક
આઇ કે જાડેજાને પણ પાર્ટી સાઇડ લાઇન કરે છેઃ હાર્દિક
ડે. સીએમ એક ભોળો માણસ છેઃ હાર્દિક
સરકાર પાટીદાર સામે પાટીદારનો ઉપયોગ કરે છેઃ હાર્દિક
શું છે વિવાદ?
રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપથી નારાજ પાસના આગેવાનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મળતાં પાસમાં વિખવાદ સર્જાયો છે. શું સમગ્ર મામલો આવો નજર કરીએ...
પાસના આગેવાનો દિનેશ બાંભણીયા મનોજ પનારા વરુણ પટેલ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મળ્યા હતા.પાટીદાર સમાજની અનામત સહિતની ચાર માગણીઓ સોલંકી સમક્ષ મુકી હતી. પ્રદેશ પ્રમુખે સમય વર્તીને તમામ માગણીઓ માટે હકારાત્મક વલણ અપનાવ્યું હતું. તેમણે આ મુદ્દે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરીને કોંગ્રેસ સ્પષ્ટ વલણ જાહેર કરશે તેવી ખાતરી પણ આપી હતી.
પાસ કન્વીનરોની માંગણીઓ હતી કે પાટીદારોનો ઓબીસીમાં સમાવેશ 25મી ઓગસ્ટની રેલીમાં માર્યા જનાર પાટીદારોને વળતર અને તેમના વારસદારોને સરકારી નોકરી પોલીસ દમન કરનાર સરકારી અધિકારીઓ સામે પગલા લેવા પાટીદાર આયોગની રચનાની એમ ચાર માગણીઓ પ્રદેશ પ્રમુખ સોલંકી સમક્ષ રજૂ કરી હતી.
પ્રદેશ પ્રમુખ સોલંકીએ કોંગ્રેસે 20 ટકા અનામત આપવાની જાહેરાત કરી જ છે. ઉપરાંત બાકીની માગણીઓ માટે પણ કોંગ્રેસ હકારાત્મક છે તેવી ખાતરી આપી હતી. આ તમામ મુદ્દાઓ કોંગ્રેસના હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરીને આગામી દિવસોમાં કોંગ્રેસનું વલણ સ્પષ્ટ જાહેર કરવાની ખાતરી આપી હતી.
પ્રદેશ પ્રમુખે પાટીદારોને કોંગ્રેસના સંગઠનમાં ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં પણ મહત્વ અપાશે તેવી હૈયાધારણા પણ આપી હતી. પરિણામે આગામી સમયમાં પાસનું વલણ કોંગ્રેસ તરફી રહેશે કે કેમ તે મુદ્દે અનુમાન થઇ રહ્યા છે.
ભરતસિંહ સોલંકીની હાઇકમાન્ડ સાથે ત્રીજી વાર મુલાકાત છે. કહી શકાય કે ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા માટે આ કોંગ્રેસની વ્યૂહરચના હોય. તમામ બાબતોનો જવાબ આવનાર સમય બતાવશે.