આઇપીએલના પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરનારી એકમાત્ર ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આજે નોકઆઉટમાં પ્રવેશવાની આશાસ્પદ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ સામે ટકરાશે. કિંગ્સ ઈલેવન પંજાબને હવે બે મેચ રમવાની છે અને તેઓને પ્લે ઓફમાં પ્રવેશવું હોય તો બંને મેચ જીતવી જ પડે તેમ છે. મુંબઈની ટીમના 12 મેચમાં 18 પોઈન્ટ છે અને તેઓ જીતની રાહ પર આગળ વધતા પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાનને જાળવી રાખવા પ્રયાસ કરશે. જ્યારે પંજાબની ટીમના 12 મેચમાં 12 જ પોઈન્ટ છે અને તેઓ બાકીની બંને મેચ જીતીને પ્લે ઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા ઈચ્છી રહ્યા છે.
જો આજની મેચમાં પંજાબની ટીમ હારશે તો કોલકાતા નાઈટ રાઈડર્સ રાઈઝિંગ પૂણે સુપરજાન્યન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો પ્લે ઓફમાં નિશ્ચિત બની જશે. પંજાબ હારે તો તેઓ પછી આખરી મેચ જીતીને મહત્તમ 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકે તેમ છે.