1 જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગુજરાતના જાડેજા સિવાય હાર્દિક પંડ્યા તેમજ જસપ્રિત બુમરાહનો સમાવેશ થયો છે. સાથે જ રોહિત શર્મા તેમજ શિખર ધવનની પણ ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે. જ્યારે IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ગૌતમ ગંભીર અને સુરેશ રૈનાને નજર અંદાજ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આગામી 1 જૂનથી ઇગ્લેન્ડમાં ચેમ્પિયન ટ્રોફીની શરૂઆત થશે. ભારતની પ્રથમ મેચ 4 જૂને પાકિસ્તાન સામે રમાશે. ભારતીય ટીમને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ટીમમાં ભારત પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા છે..ચેમ્પિયન્સ ટ્રોફી માટે વિરાટ કોહલી કેપ્ટનશીપ નિભાવશે.