નાણામંત્રી અરુણ જેટલી હાલ અમેરિકાની મુલાકાતે છે. તેઓએ ન્યૂયોર્કમાં યોજાયેલ વિદેશી બાબતોના કાઉન્સીલમાં વાતચીત દરમિયાન આતંકવાદથી લઇને આર્થિક એમ દરેક સમસ્યાઓ પર પોતાની વાત રજુ કરી. તેઓએ જણાવ્યું હતું કે ભારત હોય કે કોઇ વિશ્વ જ્યાં પણ આતંકી હુમલા થયા છે તેમાં કયાંકને કયાંક પાકિસ્તાનો હાથ રહ્યો છે. પાક.માં વધતો આતંકવાદ એ વિશ્વ માટે ખતરા સમાન છે.
સાથે જ કહ્યુ કે વર્તમાન વૈશ્વિક સ્થિતિ જોતા એમ લાગી રહ્યું છે કે ભારત પોતાનો વાર્ષિક વિકાસ દર 7થી 8 ટકા જાળવી રાખશે. અને ભારત માટે આટલો વિકાસદર જાળવી રાખવો તે બહુ જ સામાન્ય બાબત છે વિશ્વની સૌથી મોટી અને ઝડપી વિકસી રહેલી ઇકોનોમીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત અને ચીન વચ્ચેના વિવાદ અંગે પણ જેટલીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરહદી વિવાદોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આવી સ્થિતિ રહેવાની.