પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધી નિર્ણયની લાંબા ગાળે ભારતના આર્થિક વિકાસ પર સારી સકારાત્મક અસર જોવા મળશે કારણ કે એનાથી નાણાકીય ગહનતા ઝડપી બનશે નાણાકીય સમાસને પ્રોત્સાહન મળશે અને વહીવટીતંત્રમાં પારદર્શકતા વધશે એવું વર્લ્ડ બેન્કનું કહેવું છે.
વિશ્વ બેન્કે તેના રિપોર્ટ સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ ગ્લોબલાઈઝેશન બેકલેશમાં જણાવ્યું છે કે ભારત સરકારે રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યની ચલણી નોટો બંધ કરી એનું મુખ્ય કારણ હતું કરચોરીને રોકવાનું અને ભ્રષ્ટાચારને ખતમ કરવાનું. આ બહુ જટિલ કામગીરી છે જેને માટે સમયની સાથોસાથ બીજા અનેક પ્રકારના ઉપાયો કરવાની પણ જરૂર પડશે.