શિવસેનાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળું ભાજપ હવે અયોધ્યામાં વિવાદાસ્પદ રામ મંદિર બનાવવાની પોતાની યોજના પર આગળ વધી શકે છે. કારણ કે દેશમાં હાલ એવો સામાજિક અને રાજકીય માહોલ છે કે મુસ્લિમો પણ પીએમ મોદીનો પક્ષ લેશે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકીય લેખમાં લખ્યું છે કે છેલ્લા 25 વર્ષમાં દેશમાં રાજકારણ બદલાઈ ગયું છે.
આથી હવે રામ મંદિર બનાવવું જોઈએ અને આ માટે સુપ્રીમ કોર્ટની નહીં પરંતુ મોદીના નિર્દેશની જરૂર છે. શિવસેનાએ જણાવ્યું કે ભાજપને ઉત્તર પ્રદેશમાં મોટી સફળતા મળી જે દર્શાવે છે કે લોકોને એવી આકાંક્ષા છે કે રામ મંદિર બને. લોકો આસ્થાનાના નામ પર મંદિર બનાવવા ઈચ્છે છે અને આ માટે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. આજે સમગ્ર દેશ મોદીની વાત સાંભળે છે અને માહોલ એવો છે કે મુસ્લિમો તેમની વાત સાંભળશે.