કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગના લોકોને ઘર ખરીદવા પર મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. જેમાં 6 લાખ રૂપિયાથી 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મેળવતા લોકોને હોમ લોન લેવા પર છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને ટાર્ગેટ કરતા હાઉસિંગ લોનમાં 3થી 4 ટકાની સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે.
આ યોજના આગામી 1 વર્ષ સુધી ચાલુ રહે તેવી સંભાવના છે. આ વર્ષે 1 જાન્યુઆરી બાદ હોમ લોન લેનાર લોકોને જ આ યોજનાનો ફાયદો મળશે. કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વેંચાણ થવાને કારણે રિયલ એસ્ટેટ સેકટરને પ્રોત્સાહન મળશે. અને સાથે સાથે રોજગારીમાં પણ વધારો થશે.