બેંગલુરુમાં મંગળવારે મોડી સાંજે ફરી એકવાર હિમ વર્ષાનો માહોલ જોવા મળ્યો. જ્યારે અહીંના વાર્થુર તળાવના પ્રદૂષિત પાણીને કારણે ઉઠેલો ઝાગ દૂર દૂર સુધીમાં હવામાં ઉડયો હતો. વાર્થૂર બેંગલુરુનું સૌથી પ્રદૂષિત તળાવ છે. જ્યાં આ અગાઉ પણ આવો નજારો જોવા મળ્યો હતો. તળાવમાં થઈ રહેલી સુએજ અને ઝેરી પદાર્થોને લઈને આસપાસના લોકો ભારે ચિંતીત બન્યા છે.
જ્યારે રસ્તા પર આ ઝાગ ઉડી રહ્યો હતો ત્યારે દ્વીચક્રી વાહનો માટે બ્રીજ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. ઝેરી કેમિકલને કારણે તળાવમાં ઉઠતા આ ઝાગથી શરીરમાં ઇન્ફેક્શન અને ખંજવાળ જેવી સમસ્યાઓ સર્જાય છે. આમ છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા તળાવના શુદ્ધિકરણને લઈને કોઈ જ પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.