એક એપ્રિલથી પ્રવાસીઓને તેની મેલ અથવા એકસપ્રેસ જેવી સામાન્ય ટ્રેન ટિકિટ પર રાજધાની અથવા શતાબ્દી જેવી લકઝરી ટ્રેનમાં પ્રવાસ કરવાની તક મળશે. મુસાફરે અન્ય એકસપ્રેસ ટ્રેનોમાં એ જ સ્થળ માટે ટિકિટો બુક કરાવી લીધી હોય તો પણ તેને આ તક મળશે.
રેલવે પહેલી એપ્રિલથી નવી યોજના શરૂ કરી રહ્યું છે. જેની હેઠળ ટિકિટો બુકિંગ કરતી વેળાએ વેઇટલિસ્ટેડ મુસાફરોએ વિકલ્પ પસંદ કર્યો હોય તો તેમને આગામી વૈકલ્પિક પ્રીમિયમ ટ્રેનોમાં કન્ફર્મ્ડ ટિકિટ મળી શકશે. આ યોજના હેઠળ મુસાફર પાસેથી કોઇ વધારાના ચાર્જિસ લેવામાં નહિ આવે અથવા ભાડાના અંતર તરીકે કોઇ રિફન્ડ પણ નહિ લેવાય.