ભારતની પુર્વોત્તર સરહદેથી આતંકીઓ ઘુસણખોરી કરી રહ્યા છે. આ મામલે ભારત સરકારે એક અહેવાલ સુપ્રત કર્યો છે. આ અહેવાલ પ્રમાણે 2015 ની સરખામણીમાં 2016માં બંગાળ આસામ અને ત્રિપુરાની સરહદેથી આતંકીઓની ઘુસણખોરીમાં ત્રણ ગણો વધારો થયો છે. જેમાં હરકત ઉલ જિહાદી અલ ઇસ્લામી એટલે કે હુજી અને જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ એટલે કે જેએમબીના આતંકીઓનો સમાવેશ થાય છે. ભારત સરકારના
રિપોર્ટનું મહત્વ એ છે કે વર્ષ 2014 માં બર્ધવાન જિલ્લામાં થયેલા બ્લાસ્ટમાં જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ આતંકી સંગઠનની સાંઠગાઠ હોવાનું બહાર આવ્યું હતું. હુજી અને જેએમબીના 2000થી પણ વધુ સક્રિય ઓપરેટર બંગાળ આસામ અને ત્રિપુરામાં ઘુસ્યા છે. જેમાં 720 જેટલા આતંકીઓ બંગાળની સરહદેથી તથા 1290 શંકાસ્પદ ત્રિપુરાથી ઘુસણખોરી કરી ચૂકયા છે. જો કે બંગાળની સરકારે ઘુસણખોરીના આ આંકડાને શંકાસ્પદ ગણાવ્યા છે. જ્યારે બીજી તરફ આસામ પોલીસ આ અહેવાલથી ચિંતા દર્શાવી છે.