અંકલેશ્વરમાં ગેંગમેનની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. અંકલેશ્વરમાં ટ્રેઇનના પાટા ઉથલાવવાનું કાવતરું હતું. આમલેથા ગામ નજીક પાટાની 80 પેડલ કલીપો ખોલી નાખવામાં આવી હતી.
જો ટ્રેઇન પસાર થઇ હોત તો આ મોટી જાનહાનિ સર્જાત એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. અજાણ્યા શખ્સો દ્વારા કલીપો કાઢવામાં આવી હતી. જેને લઇને રેલવે SOGએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. હાલ રેલવે અને નર્મદા પોલીસે તપાસ હાથ ધરી છે.