જાટ અનામતને ધ્યાનમાં રાખીને DMRCએ દિલ્લી પોલીસના કહેવા પર નિર્ણય લીધો છે. જાટોએ સોમવારે નોકરી અને શિક્ષણમાં અનામતને લઇને પોતાની માગોને લઇને આંદોલન કરવાની વાત કરી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્લી પોલીસે મેટ્રોની તમામ લાઇનો રવિવારની રાતે 11.30 કલાકથી દિલ્લીમાં બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સાથે જ દિલ્લીમાં 12 સ્ટેશન રવિવારની રાત 8 કલાકથી બંધ થઇ જશે. મેટ્રો સ્ટેશનની આ બંધી દિલ્લી પોલીસના આદેશ સુધી રહેવાની છે. જેના કારણે સોમવારે મેટ્રોના યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
દિલ્લી- જાટ આંદોલન મુદ્દે કેન્દ્ર સરકારનો આદેશ
પાડોસી રાજ્ય સરકારને આપ્યા નિર્દેશ
જાટ આંદોલન દિલ્લી સુધી ન આવે
હરિયાણા ઉ પ્રદેશ અને રાજસ્થાન પોલીસ 144 લાગુ કરવા આદેશ આપ્યા
અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતી દ્વારા આપવામાં આવી છે ધમકી
20 માર્ચ દિલ્લી સંસદની ઘેરાબંધી કરાવીની આપી છે ધમકી
સરકાર દ્વારા સેનાના પણ તેનાત કરી દેવાઈ
ધારા 144 લાગુ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પ્રતિબંધ મુકાયો