સીમાની સુરક્ષા માટે તહેનાત રહેતી પૈરામિલિટ્રી ફોર્સના જવાનોને પૌષ્ટિક ભોજન પણ નથી મળી રહ્યું. યુદ્ધ અને ઘર્ષણમાં જાન ગુમાવવાના બદલે જવાનોની મોત દિલની બિમારી અને ડાયબિટિઝથી મરી રહ્યા છે. આ ખુલાસો પૈરામિલિટ્રીના કોઇ જવાને નથી કર્યો પરંતુ ગૃહ મંત્રાલયના આંકડામાં થયો હતો. હાલમાં જ BSFના જવાન તેજ બહાદુરે વીડિયો પોસ્ટ કરીને ખરાબ ભોજનની ફરિયાદ કરી હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો.
ગૃહ મંત્રાલય તરફથી ઉપલબ્ધ થયેલા આંકડાઓમાં ખુલાસો થયો છે કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ કે પૈરામિલિટ્રી ફોર્સના સૌથી વધારે જવાનોના મોત ખરાબ સ્વાસ્થ્યના કારણે થાય છે. હેરાનીની વાત તો એ છે કે આ આંકડો યુદ્ધ કે ઘર્ષણમાં શહીદ થતાં જવાનોથી ત્રણ ગણો વધારે છે. બે મહીનામાં ત્રણ જવાનોનો હાર્ટ અટેકના કારણે મોત થાય છે. ખરાબ ભોજનના કારણે જવાનો બિમાર પડી રહ્યા છે અને તેઓ મોતને ભેટે છે.
ત્રણ વર્ષમાં આતંકવાદ નિરોધ અભિયાન દરમિયાન CRPF BSF ITBP SSB CISF NSG અને આસામ રાઇફલના 1 067 જવાનોના મોત થયા છે. જ્યારે આ વર્ષગાળામાં તેનાથી ત્રણ ગણા વધારે એટલે કે 3 611 સુરક્ષાબળોની મોત બિમારીના કારણે થઇ છે. પૈરામિલિટ્રીના ચિકિત્સા નિદેશાલયથી જવાનોના સ્વાસ્થ્યને લઇને સમીક્ષા કરવામાં આવી. જેમાં ચિંતાજનક પરિણામ સામે આવ્યા છે. પૈરામિલિટ્રી ફોર્સમાં સૌથી વધારે જવાનોના અવસાન દિલની બિમારીના કારણે થાય છે. જેના પછી આત્મહત્યા બીજા નંબરે આવે છે.
જવાનોને ખરાબ ભોજન મળવાના મામલાની સમીક્ષા રિપોર્ટને પૈરામિલિટ્રી ફોર્સના ચિકિત્સા નિદેશાલયે પોતાના અંદાજમાં રજૂ કર્યું છે. તેને છુપાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.