પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ આવતાની સાથે જ મોદી સરકારે સ્વાસ્થ્ય સુધારની દિશામાં મોટો દાવ ખેલ્યો છે. કેબિનેટની બેઠકમાં કેટલાક ફેરફારો સાથે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં પરંતુ આ પોલીસીને મંજૂરી આપી PM મોદીએ લોકોને પોતાની તરફ વધુ આકર્ષિત કર્યા છે.
સૌને મળશે સારવાર
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પોલિસી મંજૂર
કેદ્રીય કેબિનેટમાં પોલિસી કરાઈ મંજૂર
સ્વાસ્થ્ય સુધારની દિશામાં કેન્દ્રનો મોટો નિર્ણય
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સ્વાસ્થ્ય સુધારની દિશામાં બુધવારના મહત્વપૂર્ણ નિર્ણય લેવાયે.. અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પોલિસીને 15 બાદ આખરે મંજૂર કરાઈ. આ નવી સ્વાસ્થ્ય પોલિસી પ્રમાણે દરેક વ્યક્તિને સરકારી સારવારની સુવીધા મળશે અને દર્દીને સારવાર માટે કોઈ પણ ના નહી પાડી શકે એટલું જ નહીં પરંતુ પોલીસીમાં દર્દીઓના વિમાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
પોલિસીથી લોકોને શું લાભ
હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની છૂટ
નિષ્ણાંતો પાસે પણ કરાવી શકાશે સારવાર
ખાનગી હોસ્પિટલોને નિ[ કરેલી રકમ અપાશે
મહત્વનું છે કે આ નવી પોલિસીથી હવે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવાની છૂટ મળશે. તેમજ નિષ્ણાંતો પાસે સારવાર કરાવવા માટે સરકારી કે ખાનગી હોસ્પિલમાં જવાની પણ છુટ મળશે. સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલોને આ પ્રકારની સારવાર માટે નક્કી કરેલી રકમ પણ આપવામાં આવશે. તેવામાં નવી હોસ્પિટલ બનાવવામાં વપરાશ થતી રકમને સીધી સારવાર માટે ખર્ચ કરવામાં આવશે. હાલ દેશમાં ડોક્ટરોને બતાવવામાં 80 ટકા અને હોસ્પિટલોમાં ભર્તી થવાના મામલામાં 60 ટકા હિસ્સો ખાનગી ક્ષેત્રનો છે. પરંતુ ખાનગી ક્ષેત્રમાં જનારા મોટા ભાગના લોકો પોતાના ખિસ્સામાંથી ફીની ચુકવણી કરે છે.
સૌને મળશે સારવાર
બાળ મૃત્યુ દરમાં થશે ઘટાડો
સરકારી હોસ્પિટલોમાં દવાનો પુરતો જથ્થો હશે
નિદાન માટે તમામ સાધન સામગ્રી હશે ઉપલબ્ધ
80 ટકા લોકોની સારવાર થશે મફત
આ પ્રસ્તાવમાં વ્યક્તિ સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાનો પણ ઉલ્લેખ કરાયો છે. જે પ્રમાણે માત્રૃ અને શિશુ મૃત્યું દરમાં ઘટાડો થશે. સાથે જ દેશભરમાં સરકારી હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ હશે. તેમજ કોઈપણ પ્રકારના રોગના નિદાન માટે તમામ પ્રકારની સાધન સામગ્રી પણ ઉપલબ્ધ હશે. જેથી 80 ટકા લોકોને મફતમાં સારવાર મળી શકશે. આમ મોદી સરકારની નવી હેલ્થ પોલિસી લોકો માટે આશિર્વાદ રૂપ સાબિત થશે. તો આ પોલિસી આગામી સમયમાં મોદી સરકાર માટે ખુબ લાભદાઈ નિવડશે.