છેલ્લા કેટલાક દિવસોથી રાજયના એસ.ટી નિગમના કર્મચારીઓ તથા યુનિયન વિભાગ દ્વારા પોતાના છઠ્ઠા પગાર પંચ સહિત અન્ય માગણીઓ સરકાર નહીં સ્વીકારતા હોવાના કારણે રાજયના એસ.ટી વિભાગના કર્મચારીઓ દ્વારા 15 મી માર્ચની મધ્યરાત્રીથી તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરીને બસના પૈડા થભાવી દેવાના હતા. ત્યારે રાજયના શિક્ષણ પ્રધાને પણ એસ.ટી વિભાગના તમામ કર્મચારીઓને અનુરોધ કર્યો છે કે તેમના પ્રશ્નોનું નિરાકણ 15 દિવસની અંદર થઇ જશે પરંતુ હાલ બોર્ડના વિદ્યાર્થીઓની પરિક્ષા ચાલી રહી છે. જેથી બસના પૈડા થંભાવી દેવા યોગ્ય નથી. જો એસ.ટી બસની સેવા ખોરવાઇ જશે તો કેટલાક બાળકોના ભવિષ્ય પર તેની સીધી અસર પડશે
તો બીજી બાજુ વાહન વ્યવહાર મંત્રીએ પણ મિડિયા સમક્ષ પોતાની પ્રતિકિયા આપી હતી કે એસ.ટી નિગમના યુનિયનના કેટલાક કર્મચારીઓની વિવિધ માંગને કારણે છેલ્લા બે દિવસથી યુનિયનની સાથે સરકારના વાટાધાટો ચાલી રહ્યા છે અને આજે પણ કર્મચારીની માંગને લઇને સરકાર એક ઉચ્ચ કમિટિ બનાવવાનો નિર્ણય પણ કર્યો છે તથા સરકારે પણ હડતાલ પરત ખેંચવાની વાત એસ.ટી વિભાગના વિવિધ યુનિયનને કરી છે અને યુનિયને પણ માસ સીલ પરત ખેંચીને હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આથી આજે મધરાતથી શરૂ થનારી એસ.ટી કર્મચારીઓની હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. હડતાલ મુદ્દે એસ.ટીના વિવિધ ત્રણ યુનિયનો સાથે એસ.ટી નિગમના MD
વિજય નહેરાની બેઠક પણ યોજાઇ હતી. જેમાં લાંબી ચર્ચા કર્યા બાદ એસ.ટી યુનિયનોએ હાલ પૂરતી હડતાલ મોકૂફ રાખી છે. યુનિયનોએ હકારાત્મક અભિગમ અપનાવી હડતાલ સમેટી લેવાનો નિર્ણય કર્યો હતો. એસ.ટી કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નો અંગે અગાઉ ત્રણેય યુનિયનની સંકલન સમિતિની મીટીંગ યોજાઇ હતી. જેમાં મહેસાણા પાલનપુર હિંમતનગર અમદાવાદ મધ્યસ્થ કચેરી પદાધિકારીઓ હાજર રહ્યા હતા.