નોટબંધીના નિર્ણય બાદ પણ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને જીત મળી છે અને આ જીત બાદ હવે મોદી સરકાર નોટબંધી જેવા અનેક નિર્ણયો લઇ શકે છે. જેની અસર જનતા પર પણ પડી શકે છે.
ચાર મહિના પહેલા નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધીનો નિર્ણય લીધો હતો તો વિરોધીઓને એક મુદ્દો મળી ગયો હતો. ત્યારે સંસદની કાર્યવાહી ચાલી નહોતી શકી. છતાં ભાજપને આશા હતી કે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં તેની અસર પડશે. કોંગ્રેસ સપા અને બસપાએ પોતાના પ્રચારમાં નોટબંધીની નિર્ણય બાદ આવેલી મુશ્કેલીઓને હાઇલાઇટ કરી હતી અને ઉત્તર પ્રદેશમાં ભાજપને સપોર્ટ મળી ગયો. આવામાં મોદી સરકાર નોટબંધીના નિર્ણયને સફળતા તરીકે રજૂ કરી શકે છે અને હવે મોદી સરકાર આગળ પણ વધુ અન્ય નિર્ણયો લઇ શકે છે.
મોદીએ નોટબંધી બાદ 50 દિવસ સુધી પોતાના ભાષણોમાં આર્થિક અને ભ્રષ્ટાચાર ફ્રી સિસ્ટમ માટે સુધારની વાત કરી હતી. તેના માટે મોદીએ અનેક વખત કહ્યું હતું કે તેઓ અટકશે નહી. નોટબંધી બાદ તેનાથી પણ કડક નિર્ણયો લેશે. મોદી સરકાર નોટબંધીની જેમ બેનામી સંપતિને લઇને સરકાર વધુ એક મોટું પગલું ભરી શકે છે. કાયદો પહેલેથી જ પાસ થઇ ગયો છે અને જલ્દી જ તેને લાગુ કરવાની યોજના બનાવવામાં આવી શકે છે. મોદી ઘણા સમયથી જનતાને સબસીડી છોડવા અપીલ કરી ચુક્યા છે અને તેમની અપીલ પર ત્રણ વર્ષમાં લાખો લોકોએ LPG સિલેન્ડર પર મળતી સબસીડી છોડી દીધી છે.
સરકાર ગોલ્ડ monetization સ્કીમને કડક કરી શકે છે. GST લાગુ થયા બાદ રાજ્યોમાં મોંઘવારી વધશે અને તેનાથી બચવા કેન્દ્ર સરકાર કોઇ નવું પગલું ભરે તે કહીં શકાય નહીં. મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ એ હશે કે વન ટેક્સ પોલિસી લાગુ થવાથી નાના અને મધ્યમ વેપારીઓને નુકસાન થશે. બેંકોની રકમ પાસે રાખીને બેઠેલા લોકો વિરૂદ્ધ મોદી સરકાર કડક કાર્યવાહી કરી શકે છે. સ્ટેટ બેંકનું મર્જર આ માટે જ ચાલી રહ્યું છે. તો નોટબંધી સમયે અનેક પ્રાઇવેટ બેંકોએ ગડબડ કરી હતી. સરકારે તેમને CCTV ફૂટેજ આપવા કહ્યું હતું. અનેક ખાતાઓમાં રકમ નાખવામાં આવી હતી અને હવે તે ખાતાઓની તપાસ પણ કરવામાં આવશે.