7મા પગાર પંચ હેઠળ સરકાર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને HRA ત્રીસ ટકાથી વધુ કરવામાં નહીં આવે. ગત સપ્તાહે એલાઉન્સ કમિટીના રિપોર્ટ બાદ સરકારે આના સંદર્ભેનું સૂચન નામંજૂર કર્યું છે. ગત સપ્તાહે જ પોતાની ભલામણોને કમિટીએ નાણાં પ્રધાન અરુણ જેટલીને સોંપી હતી.
અહેવાલો છે કે સરકારી કર્મચારીઓ ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો કરવાના મૂડમાં નથી. પોતાના રિપોર્ટમાં કમિટીએ એલાઉન્સમાં વધારો કરવાની વાત કરી હતી. એલાઉન્સ કમિટીનું નેતૃત્વ નાણાં સચિવ અશોક લવાસા કરી રહ્યા હતા. તેમણે સંમતિ વ્યક્ત કરી હતી કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધવું જોઈએ. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને મોટો આંચકો લાગશે. કેન્દ્રીય કર્મચારીઓને પહેલાની જેમ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છઠ્ઠા પગાર પંચની જોગવાઈ પ્રમાણે મળશે.
પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં ઘટાડો કરતા તેને ચોવીસ ટકા કરવાની ભલામણ કરી છે. છઠ્ઠા પગાર પંચથી કેન્દ્રીય કર્મચારીઓને ત્રીસ ટકા એચઆરએ મળતું હતું. કેટલાક અહેવાલ પ્રમાણે રિવ્યૂ કમિટીએ એચઆરએના દરમાં ઘટાડો નહીં કરવાની ભલામણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે ગત વર્ષ જૂનમાં સાતમા પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. પરંતુ ભથ્થાં પર કરવામાં આવેલી ભલામણોનો રિવ્યૂ કરવા માટે નાણાં સચિવ અશોક લવાસાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી.