રાજકોટ ખોડિયાર પરામાંથી દેશી બોમ્બ મળવાના મામલે ગુજરાત ATSની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં 2 આતંકીઓને પકડવામાં ATSને સફળતા મળી છે. વસીમ રમોડિયા અને નઈમ રમોડિયા નામના બે ISISના સભ્યોની ATS દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
મળી બોમ્બ બનાવવાની સામગ્રી
ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી હાથ લાગી છે. જેમાં 90 ગ્રામ ઘન પાઉડર છે. આ સિવાય બંને જણા સોશિયલ મીડિયામાં એક્ટિવ હોવાથી તેમની સાથે કોણકોણ સંકળાયેલું છે તે તરફ તપાસ થઈ રહી છે. ATS બંનેના ઘરે જઈને તપાસ કરી રહી છે.
જાણો ક્યાં બ્લાસ્ટ કરવાનો હતો પ્લાન
મળતી વિગતો મુજબ એક બે દિવસમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો તેમનો મનસૂબો હતો. ફેસબુક જેવી સોશિયલ સાઈટ અને મેસેજિંગ એપ્સથી લોકોના સંપર્કમાં પકડાયેલા બંને આતંકીઓ એક્ટિવ હોવાથી તેમના ઘરથી કોમ્પ્યુટરને જપ્ત કરવામાં આવ્યુ છે. આ બંને લોકો ચોટીલા મંદિરને ઉડાવાનો પ્લાન હતો. ચોટીલા મંદિરને ઉડાવી દેવા પહેલા રેકી કરી હતી. ATSની ટીમે એકની ભાવનગર અને બીજાની રાજકોટથી ધરપકડ કરી છે. બંને ભાઇઓ ભંગારના ધંધામાં કામ કરતા હતા. આતંકીઓ પાસેથી હાબિક નામનું મેગેઝિન મળી આવ્યું છે. સૌરાષ્ટ્રમાં જેટલી પણ ડિસ્ટ્રીકટ લેવલની મેચો રમાતી હતી. તેમાં પકડાયેલા આતંકીઓના પિતા આરીફભાઈ એમ્પાયરીંગ કરતાં હતાં. જ્યારે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા. જોકે ગયા વર્ષે જ તે રિટાયર્ડ થયા હતા તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.