અનેક અટકળો વચ્ચે આખરે આજે સામાન્ય બજેટ રજુ થયું. જેમાં અરુણ જેટલીએ સ્વાસ્થ્ય ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. અને 2 રાજ્યોમાં એમ્સને સ્થાપવાનું એલાન કર્યુ છે. હવે ઝારખંડ અને ગુજરાતમાં એમ્સ સ્થાપવાની ઘોષણા કરી છે. મહત્વનું છે કે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય છે. આ સાથે જ 1.5 લાખ સ્વાસ્થ્ય ઉપકેન્દ્રોનો વિકાસ કરવામાં આવશે.
એઈમ્સની જાહેરાત કરતા અરુણ જેટલી કહ્યું કે ઝારખંડ અને ગુજરાતમાં એઈમ્સની સ્થાપના કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં DNBના કોર્ષ શરૂ કરાવાશે. મેડિકલ સાધનોના દેશમાં નિર્માણ માટે વિશેષ સવલતો આપવામાં આવશે. ગુજરાતમાં વડોદરા અને રાજકોટની એઈમ્સ માટે પસંદગી કરવામાં આવી છે. આ બે શહેરોમાંથી કોઈ એક શહેરમાં એઈમ્સ બને તેવી શક્યતાઓ છે.
ગુજરાતને AIIMSની ભેટ
1.5 લાખ સ્વાસ્થ્ય ઉપકેન્દ્રોનો વિકાસ કરાશે
ઝારખંડ અને ગુજરાતમાં એઈમ્સની સ્થાપના કરાશે
મ્યુ. કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં DNBના કોર્ષ શરૂ કરાશે
મેડિકલ સાધનોના દેશમાં નિર્માણ માટે વિશેષ સવલતો અપાશે
ગુજરાતમાં રાજકોટ કે વડોદરાની એઈમ્સ માટે પસંદગી
ગુજરાત વિશે બીજી વાત કરીએ તો આ ઉપરાંત મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમનો પણ વિશેષ ઉલ્લેખ કરાયો છે. જેમાં સાબરમતી આશ્રમના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે તેનો વિકાસ કરાશે તેવી જાહેરાત બજેટમાં કરાઈ છે.