મોદી સરકારનું સામાન્ય બજેટ રજૂ કરાયું તો આ સાથે જ પ્રતિક્રિયાનો દોર પણ શરૂ થઈ ગયો હતો. જેમાં અમુક લોકોએ બજેટથી સંતોષ વ્યક્ત કર્યો તો અમુક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જોકે આ મુદ્દે PM મોદીએ પણ ટ્વીટ કરીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે.
આજે જાહેર કરાયેલા સામાન્ય બજેટ સાથે રેલ બજેટમાં પીએમ મોદીએ બજેટ વિશે જણાવ્યું કે આ બજેટથી કરપ્શન અને બ્લેકમનીને નાબૂદ કરવાની સરકારની પ્રતિબદ્ધતા જાહેર થાય છે. તેમજ આ બજેટ ગરીબો અને મહિલાઓના હિતમાં હોવાનું પણ જણાવ્યું હતું.
તો બીજીબાજુ સોશિયલ મીડિયામાં બજેટ મુદ્દે પ્રતિક્રિયાનો દોર શરૂ થયો હતો. જેમાં મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વીટ કરતા જણાવ્યું કે બજેટમાં વધારોએ અલ્પસંખ્યકોના સામાજિક-આર્થિક-શૈક્ષણિક સશક્તિકરણમાં મદદ મળશે. પીએમ મોદી અને અરૂણ જેટલીનો આભાર. તો આ સાથે જણાવ્યું કે વર્ષો બાદ અલ્પસંખ્યક મંત્રાલયનું બજેટ 395 કરોડ રૂપિયાથી વધ્યું. 2016-17માં 3800 કરોડ રૂપિયાથી વધીને 2017-18માં 4 હજાર 195 કરોડ રૂપિયા થયા.
બીજીબાજુ મનિષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે પાર્ટીઓને બે હજાર સુધી કેશ લેવાની છૂટ કેમ? શાકભાજી વાળા 20 માટે કેશલેસ થઈ જશેએ પાર્ટીઓને 2000 કેશ લેવાની છૂટ કેમ? તો આ મનરેગામાં ફાળવવામાં આવેલા બજેટને પગલે જય કિસાન આંદોલન ટ્વીટ પેજ પર ટ્વીટ કરાયું કે મનરેગામાં વધારો એ સ્વરાજ અભિયાનની અરજી પર સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કરવામાં આવ્યો છે. તે પણ પુરુ નહીં.
તો અમિત શાહે જણાવ્યું કે રૂપિયા બે હજારના કેશ ડોનેશન પર મુકવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને હું આવકારું છે. તેમજ પોલિટિક્સમાં પારદર્શિતા અને સ્વચ્છતા લાવવા માટેના નિર્ણયનું સ્વાગત કરું છું.