RBI રૂ. 500 અને 1000ના બંધ થઇ ગયેલા નોટ બદલવા માટે એક વધુ ચાન્સ આપી શકે છે. એક નિશ્ચિત રાશીને જ આ યોજના હેઠળ બદલવામાં આવી શકશે. રિઝર્વ બેંકે લોકોએ અપીલ કરી હતી કે જે લોકો 30 ડિસેમ્બર સુધી 500 અને એક હજારની જૂની નોટો બદલાવી શક્યા નથી તેમને એક વધુ ચાન્સ મળવો જોઇએ.
ત્યારે આરબીઆઇ નોટ બદલવાની સીમા માત્ર 2000 રૂપિયા રાખી શકે છે. તો અલગથી પણ તેની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. નોટો જમા કરાવવાની મર્યાદા ખૂબ જ ઓછા સમય માટે આપવામાં આવશે. જેથી તેનો ખોટો ઉપયોગ થઇ શકે નહીં.
ઉલ્લેખનીય છે કે દેશમાં રૂ.500 અને 1000ની નોટો અમાન્ય કરાયા બાદ જૂની નોટો બદલવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં અનેક લોકો આ સમય સુધીમાં જૂની નોટો બદલાવી શક્યા નહોતા. જેના કારણે RBI મર્યાદા વધારશે તો લોકો પાસે પડી રહેલી જુની નોટો નકામી નહીં જાય.