રાજ્યમાં બર્ડ ફ્લૂએ પગ પેસારો કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ગત મોડી રાતે ખાલી તળાવમાં કોઈ અજાણ્યા શખ્સો 200 જેટલા મરઘા મૂકી ગયું હતું. જે બાદ હરકતમાં આવેલ પ્રશાસને આ મરઘાઓને હાથીજણ ખાતેના કેદ્રમાં બર્ડ ફ્લુ ટેસ્ટ માટે મોકલતા ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેને પગલે હાથીજણ ગામને ઇફેક્ટેડ ઝોન જાહેર કરાયો હતો.
મળતા અહેવાલો પ્રમાણે મુંબઈના ક્રાફેડ માર્કેટમાંથી આ મરઘાઓને લવાયા હતા. જોકે રોગના લક્ષણોને જોતા તેને વસ્ત્રાલના તળાવમાં બિનવારસી હાલતમાં મૂકી દેવાયા. બર્ડ ફ્લૂની શક્યતાને પગલે અહીંના 10 કિલોમીટરના 36 ગામોમાં સર્વે હાથ ધરાયો છે. આ માટે પશુપાલન આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી છે. એટલું જ નહીં ટૂંક સમયમાં પશુપાલન વિભાગ દ્વારા આ અંગે નોટિફિકેશન પણ જાહેર કરાશે. જોકે હાલમાં જીવદયા સંસ્થા દ્વારા આ મરધાઓને સારવાર માટે લઈ જવાયા છે.