રાજકોટમાં સત્તા અને દારૂની આડમાં જાહેરમાર્ગ પર ભાજપના કાર્યકર્તાને દાદાગીરી કરવી ભારે પડી છે. સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે. અને કાર્યકર્તાએ માફી માગવી પડી છે. પહેલા દાદીગીરી પછી માફી માંગી.
રાજકોટમાં ગુંડા અને લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. ત્યારે એસટી બસ સ્ટેન્ડમાં ભાજપના કાર્યકર્તા એવા આરીફ કારવાએ એસટી બસ સ્ટેન્ડમાં મારામારી કરી આતંક મચાવ્યો છે. માઉન્ટ આબુથી ગોંડલ જતી બસને રાજકોટના પારેવડી ચોક પાસે સાઈડ કાપવા મામલે આ ઘીંગાણુ મચાવ્યું હતું. જેમાં આરીફ કારવાએ ડ્રાઇવર અને કંડકટર સાથે મારામારી કરી હતી. સમગ્ર ઘટનામાં હાલ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જે આધારે પોલીસે આરીફની ધરપકડ કરી છે. અને સમગ્ર ઘટનાને લઈ આરીફ પાસે માફી પણ મંગાવી છે.
ડ્રાઇવર કંડટર સાથે ઝપાઝપી કરનાર નરેન્દ્ર મોદી વિચારમંચનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે. કાર પર ભાજપના સિમ્બોલ અને મોદીના ફોટા છે. ભાજપ પ્રમુખ સહિત રાજકોટના સ્થાનિક ભાજપના નેતાઓ આ વાતને સ્વીકારવા તૈયાર નથી જોકે પોલીસે જાહેર માર્ગ પર જ આરીફ પાસે માફી મંગાવી છે.
હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે અહી સવાલ એ થાય છે કે. જો લુખ્ખાઓને રાજકીય પક્ષનું રક્ષણ મળતું રહેશે તો સામાન્ય માણસની સુરક્ષાનું શું થશે?