રાજકોટ એસ.ટી.ડેપો પર થઈ બબાલ. મામલો હતો મુસાફર દ્વારા ડ્રાઈવર-કંડકટરને માર મારવાનો. એવી વાત સામે આવી છે કે મુસાફરને નિયત સ્થળે ન ઉતારતા મુસાફરે હોબાળો કર્યો અને ડ્રાઈવર-કંડકટરને માર માર્યો. ડ્રાઈવર-કંડકટરને માર મારતા ડ્રાઈવર અને કંડકટરોએ કામ બંધ કરી દીધુ હતુ.
મુસાફરના હુમલામાં જે ડ્રાઈવર અને કંડકટર ઘાયલ થયા હતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. એવી વાત સામે આવી છે કે ડ્રાઈવર કંડકટરને માર મારના વ્યકિત ભાજપનો કાર્યકર છે અને તેનુ નામ આરિફ છે.