રાજકોટમાં શાહ પરિવારે નોટબંધીના નિર્ણયને આવકારવા કેશલેસ રિસેપ્શન આયોજન કર્યુ હતું. આમંત્રિત મહેમાનોએ 101થી 1001 સુધીનો ચાંદલો ચેકથી આપ્યો હતો.. અને કેટલાક લોકોએ ડેબીટ કાર્ડથી વરઘોડિયાઓને શુભેચ્છા ચાંદલો આપ્યો હતો. આનંદ વ્યકત કરતા લોકોએ કેદ્ર સરકારના નોટબંધીના નિર્ણયને આવકાર્યો હતો.
દેશભરમાં નોટબંધી પછી રોકડ રકમ સહીતની સમસ્યાઓ દરેક જગ્યાએ સર્જાઇ છે અને અત્યારના સમયમાં લગ્નની મૌસમ પુરબહારમાં ચાલે છે. ત્યારે નવ દંપતીને ચાંદલોકેવી રીતે કરવો તેની મુંઝવણ લોકો અનુભવતા હતા. ત્યારે રાજકોટમાં નીતિન શાહે પુત્રના લગ્નમાં અનોખુ રિસેપ્શન યોજતાં લોકોમાં આનંદ છવાયો હતો. પાયલ અને નિતીનના લગ્ન યોજાયા હતા.