ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે 417 રન બનાવીને ભારતીય ટીમ ઓલ આઉટ થઈ હતી. જે પછી ટી બ્રેક પહેલા બીજા દાવમાં રમવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે દિવસના અંત સુધીમાં 38 ઓવરમાં 4 વિકેટ પર 78 રન બનાવી લીધા હતા. જો રૂટ અને બૈટી અણનમ રહ્યા હતા.
ઓપનર હામિદના ઈજાગ્રસ્ત થવા પર જો રૂટ-કૂકની જોડી ઓપન કરવા માટે ઉતરી હતી. જોકે કૂક અશ્વિનનો શિકાર બન્યો હતો. જે પછી એક પછી એક ઈંગ્લેન્ડના બેટ્સમેન આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ હજુ પણ ભારત કરતા 56 રન પાછળ છે. ભારત તરફથી અશ્વિને 3 વિકેટો તથી જયંત યાદવે 1 વિકેટ મેળવી હતી.
ઈંગ્લેંડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમેચમાં ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં જ આશ્વિનની વિકેટ પડી હતી. અશ્વિન 72 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મેચમાં જાડેજા અને જયંત યાદવ આવ્યા હતા. જાડેજાએ 90 રન ખડકીને આઉટ થયો હતો. તે પછી જયંત યાદવ (55) આઉટ થયો. આ પછી ઉમેશ યાદવ અને મહોમ્મદ શામી રમતમાં હતા.