નોટબંધી પછી બેન્કના ખાતામાં ધડાધડ જમા થઈ રહેલી બધી જ રકમ પર સરકારની નજર છે. તેમાંથી કરચોરોને શોધવા માટે કેન્દ્ર સરકારે લોકસભામાં આયકર સંશોધન બિલ રજૂ કર્યું છે.
નોટબંધી પછી રોજેરોજ આવી રહેલા નવા નિયમો વચ્ચે આ જાણવું જરૂરી છે કે બિલનું મહત્વ શું છે અને તેનાથી કોને કોને અસર થશે. સરકારની ઈચ્છા ટેક્સ ચોરી કરતા લોકો અને તથા બીજાના ખાતામાં પૈસા જમા કરીને બચતા લોકો પર લગામ કસવાનું છે.
સંશોધન બિલની જાણવા જેવી દસ વાતો.
1. બિલ અંતર્ગત બેન્કમાં 2.5 લાખથી વધારાની જાહેર ન કરાયેલી રકમ જમા કરવા પર પૂછપરછ કરવામાં આવશે.
2.સરકાર બે રીતથી આ ટેક્સને લાગૂ કરશે પહેલા તેવા લોકો જે પોતાની અઘોષિત આવકને ઘોષિત કરી દે.
3.સરકાર આવા લોકો પર 30 ટકા ટેક્સ 10 ટકા દંડ લગાવશે તથા 30 ટકા ટેક્સ ઉપર 33 ટકા સેસ લગાવશે. આથી બેન્કમાં જમા રકમ પર 49.9 ટકા જેટલો ટેક્સ ચુકવવો પડશે.
4. બાકીની વધેલી 50 ટકા રકમ જ બેન્કથી નિકાળી શકાશે.
5. જ્યારે બાકીની 25 ટકા રકમ ચાર વર્ષ માટે બેન્કમાં છોડવી પડશે જેના પર શૂન્ય વ્યાજ મળશે.
6. આ ઉપરાંત જે લોકો સરકારની આ સ્કીમ બાદ પણ પોતાની અઘોષિત આવક જાહેર નથી કરતા તેવા લોકો પકડાશે તો તેમના પર સરકાર 85 ટકા ટેક્સ અને દંડ લગાવશે.
7. સરકાર આવા લોકો પર સીધો જ 60 ટકા ટેક્સ લગાવશે. આ ઉપરાંત તે લોકો પર 25 ટકા દંડ લાગશે. આથી તેમને 85 ટકા દંડ ભરવો પડશે.
8. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સેસ અતંર્ગત મળેલી રકમને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે ખર્ચવામાં આવશે.
9. જનધન ખાતામાં જમા રકમ પર સરકારનું વિશેષ ધ્યાન છે. આ માટે આવા ખાતાઓમાં જમા થયેલી રકમ પર ભાર આપી રહી છે.
10. સરકારે આ બિલને લોકસભામાં મની બિલના રૂપે રજૂ કર્યું છે જેથી રાજ્યસભામાં તે અટકે નહીં.