ગાંધીધામમાં નોટબંધીના કારણે છૂટા રૂપિયા ન મળતા એક પરીણિતાએ કેરોસીન છાંટી આપઘાત કરતાં સનસનાટી ફેલાઈ જવા પામી છે. સેક્ટર 5 માં રહેતા મનોજ પાલને પગારમાં 500-1000ની જૂની નોટ મળી હતી. તેની પત્નીએ છૂટા રૂપિયાની માગણી કરતા બંને વચ્ચે બોલચાલ થઈ હતી.
બાદમાં તેની પત્નીએ ઘરમાં જઈને કેરોસીન છાંટીને સળગી જવાનો પ્રયત્ન કર્યો હતો. તો મહિલાનો પતિ તેને બચાવવા જતા દાઝી ગયો હતો. પતિ-પત્નીને સારવાર માટે ભૂજ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં મહિલાનું મોત નિપજ્યું હતું. 3 માસૂમ બાળકો માતા વિનાના થઈ ગયા છે.