10 થી 12 આતંકીઓ ઘુસ્યા હોવાના અલર્ટ બાદ ગુજરાતના મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. દ્વારકા સોમનાથ બહુચરાજી અને અંબાજી સહિતના પ્રસિદ્ધ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.
તો ગુજરાત પોલીસે સાવધાની વર્તી છે. રાજયના મોટાભાગના શહેરોમાં વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે. એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. જયારે અમદાવાદ રાજકોટ સુરત જેવા મેટ્રો શહેરના રેલ્વે સ્ટેશનમાં પ્રવાસીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. તો દરિયાકાંઠા પર મરીન પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તો કચ્છ અને બનાસકાંઠાની સરહદ પર સુરક્ષા હાથ ધરવામાં આવી છે.