બાંગ્લાદેશ કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામીના મુખ્ય ફાઈનાન્સર અને મીડિયા હસ્તી મીર કાસિમ અલીને ફાંસી આપવામાં આવી છે. કાસિમને 1971માં થયેલા મુક્તિ સંગ્રામ દરમિયાન તેમના ગુનાઓ માટે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. કાસિમને ફાંસી આપવાનો અંતિમ આદેશ જેલ અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો હતો.
ઢાકાના બહારી વિસ્તારમાં આવેલ કાશીમપુર સેન્ટ્રલ જેલમાં કડક સુરક્ષા વ્યવસ્થા ફાંસી આપવામાં આવી હતી. બાંગ્લાદેશ દ્વારા 1971ના યુદ્વ ગુનેગારો સામે 2010માં શરૂ કરવામાં આવેલા અભિયાન બાદ અત્યાર સુધી પાંચ યુદ્વ અપરાધીઓને ફાંસી આપવામાં આવી છે.