પાકિસ્તાને એક મહિલા સહીત અલ કાયદાના અયમાન અલ-જવાહિરીની બે પુત્રીઓને મુકત કરી છે. પૂર્વ આર્મી ચીફ જનરલ અફફાક પરવેઝ કયાનીના અપહરણ કરાયેલા પુત્રને છોડાવવાને બદલે પાકિસ્તાને આ પગલું ઉઠાવ્યું છે. અલ કાયદાની ઓનલાઈન મેગઝીન અલ મસરામાં આ દાવો કરવામા આવ્યો છે.
અલ મસરાએ દાવો કર્યો છે કે છોડાયેલા 3 લોકોમાં જવાહિરીની બે પુત્રીઓ ફાતિમા ઉમાયમાની સાથે એક ત્રીજી મહિલા પણ સામેલ છે. મેગેઝીમાં લખાયું છે કે આ સોદાબાજીથી તે સ્પષ્ટ થાય છે કે જવાહિરીના લોકોની પાકિસ્તાનમાં લાંબા સમયથી દખલઅંદાજી યથાવત છે.