ગુજરાત ભરમાં ભાજપની ત્રિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં અનેક જગ્યાએ વિરોધ જોવા મળ્યો હતો ત્યારે સુરતમાં પણ કોંગ્રેસ ભાજપ વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે હવે જૂનાગઢના કેશોદના અજાબ ગામે પણ ત્રિરંગા યાત્રાનો PAAS અને ગ્રામજનોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો. આ રેલી દરમિયાન ત્રિરંગા યાત્રાનું અપમાન કર્યાનો ગુનો કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જે પછી પાસના કન્વીનર સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
20 ઓગસ્ટના રોજ રોજ કેશોદના અજાબ ગામે PAAS અને ગ્રામજનો દ્વારા ભાજપની નીકળેલી ત્રિરંગા યાત્રાનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કેશોદ ભાજપના મહિલા આગેવાન પ્રવીણા બેનેમાં ત્રિરંગા યાત્રાનું અપમાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. ત્યારે કેશોદ પોલીસે આજે ત્રિરંગા યાત્રાનો વિરોધ કરનાર જૂનાગઢ જિલ્લા PAAS કન્વીનર કાંધલ પટેલ સહીત 9 લોકોની આજે ધરપક્કડ કરીને કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે કેશોદ પોલીસ જણાવ્યું છે કે હાલ પાસ કન્વીનર સહિત 9 લોકોની ધરપકડ કર્યા બાદ કેશોદ કોર્ટમાં રજુ કરશે અને આગળની કાર્યવહી કરવામાં આવશે.