રાજકોટમાં ઉત્કર્ષ સ્કૂલમાં પ્રિન્સીપાલે બે વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટના સામે આવી છે. જેથી ગુસ્સે થયેલા વાલીઓએ સ્કૂલ પર ભેગા થઈને હોબાળો મચાવ્યો છે. વિદ્યાર્થીઓ પર થયેલી અત્યાચારની ઘટના પછી વાલીઓએ પ્રિન્સીપાલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હોબાળો કર્યો હતો.
સમગ્ર ઘટના પ્રમાણે ઉત્કર્ષ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ દ્વારા પાણીની ટાંકીનો પથ્થર તૂટી ગયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા થયેલી આ ભૂલના કારણે સ્કૂલના પ્રિન્સિપાલે તેમને ઓફિસમાં બોલાવીને ઢોર માર માર્યા હતા. જે બાદ વાલીઓનું ટોળું સ્કૂલ પર દોડી ગયું હતું. પથ્થર તૂટવા જતી સામાન્ય બાબતે વિદ્યાર્થીઓને માર મારવા બદલ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે શાળાનો ઘેરાવ કરીને પ્રિન્સિપાલની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.