ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણી સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા. જયાં તેઓએ રૈયારોડ પર નવનિયુકત હોલ તેમજ આવાસનું લોકાપર્ણ કર્યુ. જેમાં તેમણે પ્રમૂખ સ્વામીને યાદ કર્યા હતા અને નવનિયુકત હોલનું નામ પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયલ નામ આપ્યું હતુ. તેમજ હવે સૌરાષ્ટ્રને પાણીની સમસ્યા વેઠવી નહી પડે કારણ કે પીવાના પાણીની સુવિધા ઉભી કરવાનું પ્લાનિગ કરી લીધુ છે.
સૌની યોજના હેઠળ 115 ડેમો ભરવામાં આવશે. શરૂઆતમાં 10 ડેમો પાણીથી ભરવામાં આવશે. જેની શરઆત કરી દેવામાં આવી છે. 30 ઓગસ્ટના રોજ મોદીના હસ્તે આજી ડેમ 3 ખાતે ઉદ્ધાટન કરવામાં આવશે. આશરે 12 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ યોજનાને લીધે છેવાડાના ગામો સુધી પાણી પહોચાડવામાં આવશે.