રાજકોટની પડધરીની એક હોટલ પાસેથી એક મૃત કબુતર મળી આવી આવ્યુ છે. આ કબૂતરની પાંખમાં અરબી ભાષામાં સંદેશો લખેલો જોવા મળ્યો છે. આ સિવાય કબૂતરના પગમાં ટેગ પણ લગાયેલા જોવા મળ્યા છે. જોકે આ કબૂતર જાસુસી માટે મોકલવામાં આવ્યુ હતુ કે કોઈ અન્ય ઈરાદા હતા તે દિશામાં પોલીસ અને એફએસએલે તપાસ હાથ ધરી છે.
તો આ તરફ આણંદના પેટલાદ તાલુકાના પંડોળી ગામેથી એક શંકાસ્પદ કબુતર મળી આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. કબુતરના પગ ઉપર ટેગ તેમજ પાંખો ઉપર એરેબિક ભાષામાં લખાણ મળી આવ્યું છે જેની વિસ્તૃત તપાસ હાથ ઘરવામાં આવી છે. શંકાસ્પદ કબૂતરનો કોઈ જાસુસી માટે ઉપયોગ કરવામાં આવતો હતો કે કેમ તેની તપાસ હાથ ઘરાઈ હોવાનું ડીએસપી સૌરભસિંઘે જણાવ્યું છે... પાંખ ઉપરથી મળી આવેલા એરેબિક ભાષાના લખાણ ઉકેલવાની દિશામાં કવાયત હાથ ધરવામા આવી છે. જો કે હાલના તબક્કે કાંઈ વાંધાજનક હોય તેવું લાગતુ નથી પરંતુ FSL અને ગુપ્તચર વિભાગ દ્વારા તેની તપાસ કરાવાઈ રહી છે.
હાલ તો પોલીસે આ કબૂતર જાસુસી માટે મોકલવામાં આવ્યુ હતુ કે કોઈ અન્ય ઈરાદા હતા તે દિશામાં તપાસ તેજ કરી છે.. રાજકોટ અને આણંદના પંડોળીમાં પણ શંકાસ્પદ કબૂતર મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે...પોલીસનું કહેવુ છે કે આ પ્રકારના કબૂતરોનો ઉપયોગ દુનિયામાં વિવિધ જગ્યાએ સ્પર્ધા માટે કરવામાં આવતો હોય છે. જોકે કબૂતરની તપાસ કર્યા બાદ વધૂ માહિતી મળી શકશે.
આ પહેલા પણ વેરાવળ અને પઠાણકોટમાં શંકાસ્પદ કબુતર મળી આવ્યા હતાં. વાત કરીએ વેરાવળની તો વેરાવળનાં ખલાશી ફીશીંગ માટે કર્ણાટક તરફ ગયા હતા. દરમિયાન 28 ડિસેમ્બરનાં રોજ એક શંકાસ્પદ કબુતર બોટ પર આવીને બેસી ગયું હતું. ખલાસીએ કબુતરને ધ્યાન પૂર્વક જોતા તેના પગમાં બ્લુ રંગની રીંગ પહેરાવેલી હતી. જેમાં ન સમજાય તેવા આંકડા તેમજ પાંખમાં ભુરા રંગથી અક્ષરો લખેલા હતા.
જેથી ખલાસીઓને શંકા જતાં કબુતરને પકડી લીધું હતું અને ગત 7 જાન્યુઆરીએ મરીન પોલીસ હવાલે કરી દીધું હતું. પ્રાથમિક તપાસ મુજબ કબુતરનાં શરીરમાંથી કોઇ શંકાસ્પદ ચીજ ન મળી હોવાનું જણાવ્યુ હતું. જોકે સુરક્ષાનાં કારણોથી કબુતરને સક્કરબાગ સંગ્રહાલયમાં દેખરેખ માટે રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પઠાણકોટમાંથી પાકિસ્તાની જાસૂસી કબૂતર મળી આવ્યુ હતું...આ કબૂતર તા. 29 મે 2015 સરહદ પારથી મળી આવ્યુ હતું.
જો કે એ સફેદ રંગના કબૂતરે પંજાબ પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓની ઉંઘ હરામ કરી નખી હતી. આ કબૂતરને પંજાબના પઠાણકોટના મનવાલ ગામથી પકડ્યું મળી આવ્યુ હતી.. પોલીસે જણાવ્યું હતુ કે પાકિસ્તાન દ્વારા સરહદ પર જાસૂસી કરવા અને સરહદના વિસ્તારમાં ચાલી રહેલી પ્રવૃત્તિ જાણવા કબૂતરને મોકલી રહીં છે.' જાસૂસી કબૂતરના શરીર પર એક તાર જેવી કોઇ વસ્તુ પણ મળી આવી હતી . આ તાર પર ઉર્દુમાં લખેલો એક સંદેશ મળ્યો અને સાથે થોડાક નંબરો પણ મળ્યા હતાં.. જે પાકિસ્તાનના નારોવલ જીલ્લાના લેન્ડલાઇન નંબર લાગી રહ્યા હતા.
તો શંકાસ્પદ કબૂતરને લઈને કેટલાય સવાલો ઉભા થયા છે. કારણ કે શાંતિના દૂત પર આતંકનો પૈગામ મોકલવામાં આવ્યો છે. શું ફરી ગુજરાત પર છે આતંકી ખતરો ? શું આ કબૂતર કોઇ સંદેશો આપી રહ્યાં છે ?