મહારાષ્ટ્રની ફડણવિસ સરકાર દ્વારા પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારમાં 10 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના-6 શિવસેનાના-2 અને અન્ય પક્ષના 1-1નો મંત્રીમંડળમાં સમાવેશ કરાવામાં આવ્યો છે.
સરકાર માટે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી નારાજ રહેલા શિવસેનાના નેતાએ સરકારના કેબીનેટ વિસ્તારમાં ભાગ ભાગ લીધો અને શાંતીપૂર્ણ રીતે શપથ ગ્રહણની વીધી પૂર્ણ કરવામાં આવી. જોકે ઉદ્ધવ ઠાકરે શપથ ગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યા હતા.