કાશ્મીર મુદ્દાને લઈને પાકિસ્તાને ફરી એક વખત ભારત પર નિશાન સાધ્યું છે અને બંન્ને દેશો વચ્ચે રોકાયેલી વાતચીત પાછળ ભારતને જવાબદાર ગણાવી દીધું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત સાથે દ્વીપક્ષીય વાતચીતનો રસ્તો ભારતે જ રોકીને રાખ્યો છે અને આવુ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને કાશ્મીર સહિતના તમામ વિવાદીત મુદ્દાઓ પર સમજૂતિ ન થઈ શકે.
સરતાઝ અઝીઝે કહ્યું છે કે પોતાના પાડોશી દેશ સાથે વાત કરવા માટે તેઓ પાછળ નથી હટી રહ્યા. પરંતુ ભારત પીછેહટ કરી રહ્યું છે. અઅઝીઝે કહ્યું છે કે પાકિસ્તાન કાશ્મીરની સાથે સરક્રીક આર્થિક સહયોગ વેપાર વિઝા અને માછીમારોને પકડવા જેવા મુદ્દાઓ પર વાત કરવા માગે છે પરંતુ ભારત તેનો ઉકેલ નથી લાવવા માગતુ.