ભારત આજે મસાઈલ ટેકનોલોજી કન્ટ્રોલ રીજીમ એટલે કે MTCRનું 35મું પૂર્ણ સભ્ય બની ગયું છે. ત્યારે MTCRમાં ભારતને સભ્યતા મળવા પર ચીન એટલુ ચિડાઈ ગયું છે કે તેણે ભારતીયોને હવે તો આત્મકેદ્રીત અને પાખંડી કહી નાખ્યા છે. આટલુ જ નહી ચીનના એડિટોરીયલમાં તો ભારતીયો વિશે એવુ પણ કહી દેવામાં આવ્યું છે કે તેમની અંદર નૈતિકતાની ખામી છે.
ચીની સમાચારપત્રમાં એનએસજીમાં સભ્યતા મુદ્દે ભારતની નિષ્ફળતા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.. તેમાં એ પણ કહેવામાં ભારત પશ્ચિમી દેશોની ચાપલુસી કરે છે. કેમ કે અમેરિકા ફ્રાન્સ કેનેડા અને કેટલાક અન્ય દેશોએ ભારતને NSG મામલે સમર્થન આપ્યું હતું.
રિપોર્ટમાં એવુ પણ છાપવામાં આવ્યું છે કે અમેરિકાનું સમર્થન મળતા ભારતની આકાંક્ષાઓને પાંખો આવી ગઈ હતી પરંતુ અમેરિકા સમગ્ર વિશ્વ નથી. અમેરિકાના ભારતના પક્ષમાં હોવાનો એ મતલબ નથી કે ભારતે સમગ્ર દુનિયાનું સમર્થન મેળવી લીધું છે. આ સૌથી મોટુ સત્ય છે. જો કે ભારતે તેના પર ધ્યાન નથી આપ્યું. આ સાથે જ ભારતને પોતાની વિદેશ નીતિ સ્પષ્ટ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. અને એવુ પણ કહેવામાં આવ્યું છે કે ભારતે રાષ્ટ્રીયતા વિશે શીખવાની જરૂર છે.