વડાપ્રધાન નરેદ્ર મોદી ઉ{બેકિસ્તાન જઈ રહ્યા છે. ચીનના વર્ચસ્વ વાળા 6 દેશોના બનેલા સંગઠન એસસીઓ એટલે કે શાંઘાઈ સહયોગ સંગઠનના વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાનના તાશકંદ જઈ રહ્યા છે.
આ સંમેલનમાં આતંકવાદનો સામનો કરવા માટે સુરક્ષા સહયોગ વધારવા પરની ચર્ચા કેદ્રમાં રહે તેવી શકયતા છે. આ ઉપરાંત ગુપ્ત માહિતીઓના આદાન પ્રદાન વધારવા પર પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન આ સંગઠનના પૂર્ણ સભ્ય બનવા જઈ રહ્યા છે.
આ સંમેલનમાં ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિન પણ એસસીઓના બે દિવસીય સંમેલનમાં હાજરી આપવાના છે. તો પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ પાક રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન કરશે સંમેલનમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થાય તેવી સંભાવના છે અને આ મુલાકાતમાં પીએમ મોદી શી જિનપિંગ પાસે એનએસજીમાં ભારતનું સભ્યપદ મેળવવા માટે ચીનનું સમર્થન માગી શકે છે.
મહત્વનું છે કે ચીનના વર્ચવસ્વ વાળું આ સંગઠન ખાસ કરીને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર નજર રાખે છે. આ સંગઠનનું સભ્ય પદ મળવાથી ભારતની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓમાં પોતાની અભિવ્યિક્તિ સ્પષ્ટ અને મજબૂતીથી રાખવામાં મદદ મળશે.
તાશકંદના પ્રવાસે PM
SCO (શાંઘાઈ સહયોગ સંગઠન) ના વાર્ષિક સંમેલનમાં લેશે ભાગ
સંમેલનમાં સુરક્ષા પર સહયોગ વધારવા અંગે ચર્ચાની શ~યતા
ગુપ્ત માહિતીના આદાન-પ્રદાનની પણ થઈ શકે છે ચર્ચા
ભારત પાકિસ્તાન મેળવશે SCOનું પૂર્ણ સભ્યપદ
જિનશપગ અને પૂતિન પણ આપશે હાજરી
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન પણ રહેશે હાજર
PM મોદી અને જિનશપગ વચ્ચે મુલાકાતની સંભાવના
NSGમાં સભ્યપદ અંગે જિનપિંગ પાસે મોદી માગી શકે છે સમર્થન
ઉલ્લેખનીય છે કે મોદી એનએસજીમાં ભારતના સભ્યપદ માટે જિનપિંગને મનાવવાના પ્રયાસ કરશે. બંને નેતાઓની બેઠક તાશ્કંદ યોજવા જઇ રહી છે. ફ્રાન્સે અમેરિકાની જેમ જ એનએસજીમાં ભારતના સભ્યપદને સમર્થન આપવા માટે દેશોને અપીલ કરી છે.
આ બેઠકમાં મોદી જિનપિંગ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન પણ ભાગ લેશે. ચીન હાલ સુધી એનએસજીમાં ભારતને સભ્યપદ આપવાનો વિરોધ કરી રહ્યું છે. જોકે તેણે કયારેય તેનો સીધો વિરોધ નથી કર્યો. તેનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન બંનેએ એનપીટી પર સહી નથી કરી. તેવામાં બંને સાથે સમાન વ્યવહાર કરવો જોઇએ.
જો ભારતને એનએસજીનું સભ્યપદ અપાય તો પાકિસ્તાનને પણ આપવામાં આવે. ફ્રાન્સ દ્વારા પ્રસિદ્ધ સત્તાવાર નિવેદનમાં એનએસજીના તમામ સભ્ય દેશોને આ મુદ્દે સાથે આવવાનું આહવાન કર્યું છે. ફ્રાન્સ પોતે ભારતને એનએસજીનું સભ્યપદ આપવાનો સમર્થક છે.
આ બેઠકમાં ભારતને એસસીઓનું પૂર્ણ સભ્યપદ આપવાની જાહેરાત થઇ શકે છે. તે વિશે ગયા વર્ષે જુલાઈમાં સહમતિ સધાઈ હતી. એસસીઓના મોટા ભાગના સભ્યો પાસે પેટ્રોલિયમ પદાર્થોનો ભંડાર છે. ભારતનો પ્રયાસ આ દેશો પાસેથી સસ્તુ તેલ ખરીદવાનો રહેશે.