વરસાદ સાથે વિજળી ત્રાટકતા બિહાર ઝારખંડ અને એમપીમાં અત્યાર સુધીમાં 79 લોકોના મોત નિપજ્યા છે. પક્ત બિહારમાં જ મંગળવારે વહેલી સવારે વિજળી પડતા 53 લોકોના મોત નિપજ્યા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે.
પટનામાં 6 લોકોના મોત થયા જ્યારે નાલંદા પૂર્ણીયા બોજપુર રોહતાસ બક્સર અને ઓરંગાબાદ જીલ્લામાં ચાર-ચાર લોકોના કરૂણ મોત થયા છે. આ સિવાય કટિહાર સહરસા છપરા અને કૈમુર જીલ્લામાં પણ ત્રણ-ત્રણ લોકોના મોત વિજળી પડવાથી થયા છે. જીલ્લા પ્રશાસને મૃકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
બીજીબાજુ ઝારખંડમાં પણ અલગ અલગ જગ્યાઓ પર વિજળી પડવાથી 10 લોકોના મોત થયા છે. અહીં પણ સરકારે મૃતકોના પરિવારને 4-4 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે. આ સિવાય મધ્યપ્રદેશમાં પણ 16 લોકોના વિજળી પડવાથી મોત નિપજ્યા છે.