ન્યૂક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં સભ્યપદ માટે ભારતને યુએસ તરફથી મળેલા સપોર્ટને પગલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. આના-કાની કરતાં પાકિસ્તાન વિદેશી મંત્રાલયે એનએસજી દેશોના ડિપ્લોમેટિક મિશનને પોતાની વાત સમજાવવા માટે બોલાવ્યા છે. પાકિસ્તાને આ દેશોને કહ્યું છે કે ભારતની દાવેદારીથી સાઉથ એશિયાની સ્ટ્રેટેજિક સ્ટેબિલિટી પર નેગેટીવ અસર થશે.
અમેરિકા સ્વિટઝરલેન્ડ અને મેક્સિકોના સપોર્ટ બાદ માનવામાં આવી રહ્યું છે કે ભારત એનએસજીમાં સભ્યપદ મેળવી લેશે. પાકિસ્તાની અખબાર ધ ડોનના જણાવ્યા પ્રમાણે રશિયા ન્યૂઝિલેન્ડ અને સાઉથ કોરિયાના વિદેશ મંત્રીને ફોન પર વાત કરી છે. પાકિસ્તાની વિદેશ વિભાગના પ્રવકતાના જણાવ્યા અનુસાર અઝીઝની ત્રણ દેશો સાથેની વાતચીતને પાકિસ્તાની ડિપ્લોમેટિક એફર્ટ માનવામાં આવી શકે છે.
શું છે ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપ
ન્યૂક્લિયર પ્રોલિફિરેશન માટે કામ કરે છે
હથિયારમાં ઉપયોગ થનારા મટિરિયલ નિકાસને કંટ્રોલ કરવાનું કામ કરે છે
તેની સ્પાથના ભારતના મે-1974માં પ્રથમ એટોમિક ટેસ્ટ બાદ કરવામાં આવી
એનએસજીની પ્રથમ બેઠક 1975માં મળી હતી
અત્યારે આ ગ્રૂપમાં 48 દેશ સભ્ય છે.
એનએસજી દેશ સાથે બ્રિશફગ સેશનમાં પાકિસ્તાનના વિદેશ ઓફિસના યુએન ડેસ્કના હેડ તસ્નીમ અસલમે કહ્યું કે અમારી પાસે એકસપર્ટ ઉપરાંત મેન પાવર ઇફ્રાસ્ટકચર અને એનએસજી માનક તહત કંન્ટ્રોલ એટોમિક આઇટમ અને સર્વિસ આપવાની ક્ષમતા છે. આટલું જ નહીં પાકિસ્તાન પાસે શાંતિકાર્ય માટે પુરતા પ્રમાણમાં ન્યૂિ~લયર સામાન પણ હાજર છે. તસ્નીમે કહ્યું કે હું તમામ ડિપ્લોમેટ્સને અપીલ કરૂ છું કે તેઓ એનએસજીના મુદ્દે નોન-એનપીટી દેશોને સપોર્ટ કરવામાં ભેદભાવ ન કરે. ચીનની આડમાં પાકિસ્તાન ભારતનો એનએસજીમાં પ્રવેશનો સતત વિરોધ કરી રહ્યું છે.
અમેરિકા સ્વિટઝરલેન્ડ અને મેક્સિકોના સપોર્ટ બાદ ભારતને એનએસજીનું સભ્યપદ મળી શકે છે. પાકિસ્તાન અને ચીનના સતત વિરોધ વચ્ચે હવે ભારતને એનએસજીનું સભ્યપદ મળી શકે છે નહી તે જોવું રહ્યું.