જૂનાગઢમાં પ્રથમ વખત અંબુજા ફાઉડેશનના કૃષી વિજ્ઞાન કેદ્રે ખેડૂતો માટે કોમ્યુનીટી રેડીયો સ્ટેશન શરૂ કર્યું છે.જેમાં ખેડૂતો એફએમ રેડીયો દ્વારા ખેતી અંગેની જાણકારી મેળવી રહ્યાં છે.
ખેડૂતોને ખેતી અંગેની તથા પાકમાં થતાં રોગોના નિવારણની જાણકારી મળી રહે તે હેતુથી અંબુજા કૃષિ વિજ્ઞાન કેદ્રએ કોમ્યુનીટી રેડીયો સ્ટેશન શરૂ કર્યું છે.. જેના કારણે કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડુતોને ખેતી લક્ષી જાણકારી મળી રહી છે.પરિણામે 80થી વધુ ગામના ખેડૂતો ખેતી અંગેની માહિતી મેળવી રહ્યાં છે.
અંબુજા કૃષિ વિજ્ઞાન કેદ્ર પર રેડીયો કોમ્યુનીકેશન સ્ટેશન શરૂ થતા ખેડૂતોને ઉભા પાકની માવજત અંગેની પણ પૂરતી માહિતી મળે છે.. તેમજ કયા પાકમાં કયુ ખાતર વાપરવું તે અંગેની પણ જાણકારી આપવામાં આવે છે.જેથી ખેડૂતો મોટા પ્રમાણમાં લાભ મેળવી રહ્યાં છે.
હાલ અંબુજા કૂષી વિજ્ઞાન કેદ્રે શરૂ કરેલા રેડિયો સ્ટેશન પર સવારે 7 કલાકે અને બપોરે 12 કલાકે એમ બે વખત ખેડૂતોને જાણકારી આપવામાં આવે છે.તેમજ અંબુજાથી 15 કીમી સુધીના અંતરમાં રેડીયો એફ એમ નુ કવરેજ કરાયુ છે.