જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણાની 99 યાત્રાના બીજા દિવસે કોઈ યાત્રિકો જોડાયા નથી. સિક્યોરિટી સાથેનાં ઘર્ષણ બાદ યાત્રીઓ અળગા રહ્યા છે. જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં હિંસાના દૃશ્યો જોવા મળ્યા હતા. જેથી પાલીતાણામાં 99 યાત્રા કરવા આવેલા યાત્રિકો દેરાસરના પૂજારી અને ચોકીદાર વચ્ચે બોલી ચડાવવા મામલે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી મારામારી સુધી પહોંચી હતી. જેમાં 2 ચોકીદાર અને 3 યાત્રિકો ઘાયલ થયા હતા. ઘટના સ્થળે ટ્રસ્ટીઓ અને પોલીસ પહોંચી હતી અને મામલો થાળે પાડયો હતો. જો કે 99 યાત્રા કરવામાં આવેલા યાત્રિકોમાં હજુ રોષ શમ્યો નથી.