ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં IPS અધિકારી પી.પી. પાંડેની સામે વોરંટ ઈશ્યૂ થશે. CBIની સેશન્સ કોર્ટે પી.પી. પાંડે સામે વોરંટ ઈશ્યૂ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની તપાસ કરી રહેલી CBIએ પી.પી.પાંડેની ધરપકડ કરવા માટે CBI સેશન્સ કોર્ટમાં વોરંટ ઈશ્યૂ કરવાની માગ કરી હતી. જે બાદ કોર્ટે આ આદેશ કર્યો છે. હવે સીબીઆઈ મેજિસ્ટ્રેટ પી.પી. પાંડેની ધરપકડ માટે વોરંટ ઈશ્યૂ કરશે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સુત્રોના કહેવા પ્રમાણે વધુ IPS અધિકારીઓની ધરપકડના ભણકારા હતા. વળી તાજેતરમાં સીબીઆઈની ટીમ પી.પી.પાંડની ભાળ મેળવવા ઉત્તરપ્રદેશ પણ ગઈ હતી. જ્યાં તેમણે પી.પી. પાંડેના પરિવારજનો અને તેમના મિત્રોની પુછપરછ પણ કરી હતી. વળી સીબીઆઈની ટીમે અગાઉ પણ સીબીઆઈ કોર્ટમાં પી.પી. પાંડે સામે વોરંટ ઈશ્યૂ કરવાની માગ કરી હતી. જો કે સીબીઆઈની કોર્ટે દલીલ કરી હતી કે પાંડે એક ઉચ્ચ પોલીસ અધિકારી છે. અને સરકારી અધિકારી સામે વોરંટ ઈશ્યૂ ન થઈ શકે. જે બાદ સીબીઆઈએ તેમની ધરપકડની પણ માગ કરી હતી. આ કાયદાકીય પ્રક્રિયા વચ્ચે પી.પી. પાંડે પણ ભુગર્ભમાં ઉતરી ગયા હોવાના અહેવાલો છે.