આણંદના પેટલાદ ખાતે કુદરતની લીલાને દર્શાવતો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરોજબહેનને ભગવાને એકસાથે બે બે ખોળાના ખૂંદનાર આપ્યા છે. સરોજબહેનને 62 વર્ષે બે દીકરા અવતર્યા છે.
62 વર્ષીય સરોજબહેનના ઘેર હાલમાં આનંદ છવાયો છે. ભગવાને તેમને બે બે દીકરા આપ્યા છે. 62 વર્ષે દીકરો મળે એનો હરખ કઈ માતાને ન હોય. સરોજબહેનને બે દીકરા આપી ઈશ્વરે દંપતિને જીવવાનું બળ પૂરું પાડયું છે. શિક્ષકની નોકરી કરતા આ દંપતિને આ પહેલા પણ ભગવાને બે દીકરા આપ્યા હતા. એમાંનો એક દીકરો પાંચ વર્ષની ઉંમરે અને બીજો દીકરો પચીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. પણ હવે ભગવાનને આ દંપતીને ફરી વાર ખુશીમાં તરબોળ કરવા હતા. અને એટલે જ ફરી વાર દંપતિને બબ્બે દીકરાઓ આપ્યા.
આ કિસ્સામાં વિધિની વક્રતા પણ જોવા જેવી છે. દંપતિનો મોટો દીકરો જે દિવસે ભગવાનના ધામમાં ગયો હતો.. તેના બરાબર એક વર્ષ બાદ ભગવાને સરોજબહેને બે જોડિયા બાળકો આપ્યા છે. ભગવાને દીકરો આપતાં પતિ-પત્નીની ખુશી સમાતી નથી. તો સ્વજનો પણ તેમની આ ખુશીમાં ભાગીદાર થયા છે.
હાલમાં આણંદના દંપતીને ઘેર પારણાં બંધાયા છે. કહેવાય છે કે ભગવાનને ત્યાં દેર પણ અંધેર નથી. આ ઉકિત અહીં સાચી ઠરી છે.