નવી દિલ્હી: ઇન્ડિયન આર્મીના નોશેરા સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓનો નાશ કરી દેવામાં આવ્યો છે જ્યાંથી આતંકવાદીઓ ઘુષણખોરી કરતા હતા. સેનાએ એક વીડિયો વાયરલ કરી દાવો કર્યો છે કે તેમણે રજોરીના નોશેરા સેક્ટરમાં 9 અને 10 મેના રોજ કાર્યવાહી કરી હતી.સેનાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જ્યાંથી આતંકવાદીઓ ઘુષણખોરી કરતા હતા તે પાકિસ્તાનની પોસ્ટને નાબુદ કરી દેવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આ હુમલો પાકિસ્તાન માટે સંદેશ હતો કે બોર્ડર પારથી થનારા ઘુષણખોરના કોઇપણ પ્રયાસની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેનું પ્રમાણ વધતું જશે.