નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સનુ એસયુ -30 ફાઇટર વિમાન મંગળવારની સવારે 10:30 કલાકે રેડિયો કોન્ટેક્ટ બંધ થયા પછી ગાયબ થઇ ગયુ છે. છેલ્લો રેડિયો સંપર્ક પ્લેને આસામનાં તેઝપુરથી 60 કી.મી. દુર ઉત્તર તરફથી કર્યો હતો. પ્લેનમાં બે પાયલોટ સવાર હતા. આ ફાઇટર વિમાન ઉત્તર-પૂર્વીય રાજ્યમાં આવેલા સલોનીબરીથી ઉડાન ભરી હતી.
એસયુ -30 ફાઇટર વિમાનનાં એન્જિન ખરાબ હોય છે અને તેની સેવાક્ષમતા પણ ઓછી હોય છે. આ છત્તા એસયુ -30 નો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ભારતે ગયા માર્ચમાં રશિયા સાથે લાંબા ગાળાના સ્પેર્સના સપ્લાઇ અને તકનીકિ સહાય માટેનો કરાર કરવામાં આવ્યો હતો.
ભારતીય એરફોર્સમાં વપરાતા આ વિમાન 2009થી ક્રેશ થાય છે. આ વિમાનોના ક્રેશમાં કેટલાક પાયલોટનું અવસાન થયું છે. 2005માં રાજસ્થાનમાં ક્રેશ થનાર વિમાન એસયુ -30 જ હતુ.