જમ્મૂઃ ભારતીય સેનાએ જમ્મૂથી લગભગ 100 કિ.મી દૂર નૌસેરામાં પાકિસ્તાન સૈન્યની પોસ્ટ પર કાર્યવાહી કરી હતી. ભારતીય સેનાએ કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂંસણખોરી વિરુદ્ધ ખૂબ જ કડક કાર્યવાહી કરતાં નૌશેરા વિસ્તારમાં પાકિસ્તાની સેનાના બંકરનો નાશ કરી દીધો છે. ભારતીય સૈનાએ તોપમારો કરીને પાકિસ્તાની ચોકીઓને નષ્ટ કરી નાંખી હતી. ભારતીય સેનાએ આ 24 સેકેન્ડનો વીડિયો જાહેર કર્યો છે. 24 સેકન્ડના આ વીડિયોમાં 24 ધડાકા થયા છે. ભારતીય સેનાના બે સૈનિકોની બર્બરતા પૂર્વક હત્યા કર્યા પછી ભારતે આ કૃત્યનો બદલો લીધો છે.
ભારતીય સેનાના મેજર જનરલ અશોક નરુલાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે આતંકીઓની ઘૂંસણખોરીને રોકવા માટે સીમા પર ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવી છે નરુલાએ કહ્યું "પાકિસ્તાની સેના પોતાની ચોકીઓ અને બંકરોની મદદથી આતંકીઓની મદદ કરતું રહ્યું છે. ભારતે નૌશેરામાં જવાબી કાર્યવાહી કરતાં આ પાકિસ્તાનના પોસ્ટનો નાશ કરી દીધો છે."
એમણે કહ્યું કે પાકિસ્તાનીની આ ગોળીબારથી ભારતના ગામડાઓને પણ ભારે નુકસાન પહોંચે છે. નરુલાએ જણાવ્યું કે સેનાએ પાકિસ્તાનના બંકરના નાશનો પૂરો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો 24 સેકન્ડનો છે. જે વિડીયો નીચે રજૂ કરેલ છે.