નવી દિલ્હી : ખીણનાં પ્થરોમારો કરનારા સ્થાનિક યુવાનને જીપ સાથે બાંધીને માનવઢાલ તરીકે ઉપયોગ કરનારા મેજર નિતિન ગોગોઇને સેનાએ સન્માનિત કર્યા છે. ગોગોઇને આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે ચીફ આર્મી સ્ટાફ કોમન્ડેશનથી નવાઝવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે ઉચ્ચ પદસ્થો દ્વારા માહિતી અપાઇ હોવાનો એક ચેનલે દાવો કર્યો હતો.
ગોગોઇ તે સમયે સમાચારમાં આવ્યા હતા જ્યારે જમ્મુ કાશ્મીરમાં એક સ્થાનિક યુવકને આર્મી જીપ સાથે બંધાયેલા હોવાની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ઘણા બધા લોકોએ સેનાનાં આ પગલાની આળોચનાં કરી હતી અને આ મુદ્દે કોર્ટ ઓફ ઇન્કવાયરીનાં આદેશ પણ થયા હતા. હાલમાં જ આર્મી વિપિન રાવત જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા. તે સમયે ગોગોઇને આ સન્માન આપવામાં આવ્યું હતું.
જો કે ઘણા બધા સંરક્ષણ જાણકારોએ આ પગલાનું તેમ કહીને સરાહનાં કરી હતી કે તેના કારણે હિંસા પર કાબુ મેળવવામાં સફળતા મળશે. સામાન્ય રીતે પથ્થરમારો થવાનાં કારણે લશ્કરે કાર્યવાહી કરવી પડતી હોય છે. ફાયરિંગ કરવું પડતું હોય છે. જો કે મેજરે સમજદારીનો પરિચય આપતા આ પગલું ઉઠાવ્યું. સ્થાનિક યુવક ઝીપ સાથે બંધાયેલો હોવાનાં કારણે પથ્થરમારો અટકી ગયો હતો અને સમગ્ર કાફલો ઘટનાસ્થળેથી સુરક્ષીત નિકળી ગયો હતો.