નવી દિલ્હી: કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે કહ્યું કે પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બરાબરી કરી શકે છે. તે પાર્ટી અને દેશનું નેતૃ્ત્વ કરવાની માટે સક્ષમ છે.
સિંધિયાના એક ટીવી કાર્યક્રમમાં કહ્યું કે 'રાહુલ ગાંધી પાસે અપાર ક્ષમતા છે. તેમને જમીન સાથે જોડાયેલા મુદ્દાની ઉંડી માહિતી છે.'
તેમણે કહ્યું કે 'મારૂ અંગત માનવું છે કે રાહુલ ગાંધી પાર્ટી અને દેશનું નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. તેમને બસ થોડોક સમય આપો.'
વધુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ચોક્કસ મોદીની બરાબરી કરી શકે છે. તેઓ મોદીને ચેલેન્જ આપશે અને કોંગ્રેસ તે બ્લૂપ્રિંટની સાથે જનતાની પાસે જશે જેના પર પાર્ટી અને રાહુલ ગાંધી કામ કરી રહ્યા છે. મને લાગે છે કે અમે તેમના નેતૃત્વમાં આગળ વધવુ જોઇએ. અમે 2019માં રાહુલગાંધીના નેતૃત્વમાં સરકાર બનાવીશું.